home share

કીર્તન મુક્તાવલી

(૧) જે જે હરિએ કર્યું હેત એવું કરે કોણ આપણે રે

સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

સમે સમે સંભાળ લેતા

યોગીજી મહારાજ સંતો સાથે સવારની ૫-૦૦ વાગ્યાની ટ્રેનમાં મહુવા પધાર્યા.

સ્ટેશનથી ઘોડાગાડીમાં બેસીને ગામમાં ઉતારે જવાનું હતું. ઘોડાગાડીમાં ચાર જણાથી વધારે બેસાડાય નહીં એવો કાયદો. તેથી બે ઘોડાગાડી કરેલી, પણ સંતો નવ હતા. તેથી પાર્ષદ વિનુ ભગતને ચાલતા જવું પડે એ સ્થિતિ હતી.

સ્વામીશ્રી વિનુ ભગતને કહે, “તમે બેસી જાવ.” પછી ઘોડાગાડીવાળાને કહે, “દંડ અમે ભરી દઈશું.”

મોટાસ્વામી આકળા થઈને કહે, “પોલીસ પકડશે તો દંડ કરશે ને આપણે હેરાન થઈશું.”

“પોલીસ કંઈ નહીં કરે. એને બેસી જવા દો. એકલો કેવી રીતે આવશે?” સ્વામીશ્રીએ કહ્યું.

રસ્તામાં પોલીસ મળ્યો ને ગાડી ઊભી રખાવી. વધારે બેઠા હતા તેથી દંડ કર્યો. બે રૂપિયા લઈને ખિસ્સામાં મૂકી દીધા. મોટાસ્વામી ખિજાયા, “હું કહેતો હતો પણ મારું માન્યું નહીં. દંડ ભોગવવો પડ્યો.”

સ્વામીશ્રી કહે, “તમારી વાત સાચી. બે રૂપિયા ભલે લઈ લે, પણ ભગતને એકલા ચાલવું પડે ને!”

તે વખતે વિનુ ભગત એકલીયા પાર્ષદ હતા. છતાંય સ્વામીશ્રીનો આટલો આદરભર્યો વર્તાવ અદ્‌ભુત હતો.

સ્વામીશ્રી બોલી રહ્યા હતા ત્યારે વિનુ ભગત મનોમન ભાવવિભોર બની ગયા. તેમને નિષ્કુળાનંદ સ્વામીની પંક્તિઓ યાદ આવી ગઈ:

‘વળી સમે સમે સંભાળ, જાણો કરે હરિજનની રે,

બીજું એવું કોણ દયાળ, કાં રે મનાય નહિ મનને રે.’

બાળકને માતા-પિતા ઉછેરે એવા લાડકોડથી, હેતથી, સ્વામીશ્રી નાના સંતો-પાર્ષદોને સત્સંગમાં નભાવતા, આગળ વધારતા ને વહાલ વરસાવતા. તેમને કોઈ પ્રકારનું ઓછું ન આવવા દેતા.

હાલ, પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨]

(1) Je je Harie karyu het evu kare koṇ āpṇe re

Sadguru Nishkulanand Swami

He Takes Care of Us Time to Time

Yogiji Maharaj arrived in Mahuva with other sadhus at 5 am by train. They were to go to their residence by horse carriage. The law required that only four can sit in the horse carriage. They had arranged for two horse carriages, but there were nine sadhus. Vinu Bhagat, who was a pārshad at the time, would have to walk in order to abide by the rule. Yogiji Maharaj said to Vinu Bhagat, “Sit in our carriage.” Then, he told the driver, “We will pay the penalty if needed.”

Mota Swami was vexed. He said, “If the police catch us, we will be harassed.”

“The police will not do anything. Let him sit. How can he come on his own?” Swamishri said.

On the way, they accosted a police officer who stopped them. He penalized them 2 rupees for having an extra passenger. Mota Swami was provoked, “Did I not say so. You did not listen to me. We had to pay a fine.”

Swamishri said, “Yes, that is correct. So what if he took two rupees. The Bhagat would have had to walk alone!”

At that time, Vinu Bhagat was a solo pārshad. Swamishri had such affection for him, though, that Vinu Bhagat became enamored with Swamishri’s care. He remembered the verses by Nishkulanand Swami:

Vaḷī same same sambhāḷ, jāṇo kare harijan ne re;

Bīju evu koṇ dayāḷ, kā re manāy nahi manne re...

Currently, Mahant Swami Maharaj

[Brahmaswarup Yogiji Maharaj: Part 2]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase